ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો


SHARE













વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વૃદ્ધે પોતાની માલિકીની ખેતીની જમીનમાંથી ભાગ પાડવાની તથા ખેતીની જમીન ઉપર લોન લઈ આપવાની દીકરા અને પૌત્રને ના પાડી હતી જેથી કરીને તેને દીકરા અને પૌત્ર દ્વારા ગાળો આપવામાં આવી હતી અને લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આંખમાં મરચાની ભૂકી છાંટીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ જાતે મુસલમાન (૬૫)એ તેના દીકરા મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ, નજૂરમામદ બલોચ અને પૌત્ર સલમાનભાઈ મીરમામદભાઈ બલોચ તથા પુત્રવધૂ અંજુમબેન નજુરમામદભાઈ બલોચ રહે. બધા અમરસર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની ખેતીની જમીનના ભાગ પાડવાની તેમજ ખેતીની જમીન ઉપર લોન લઈ દેવાની તેના દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ વાત કરી હતી જેથી ફરિયાદી ના પાડી હતી જે તેના દીકરા અને પૌત્રને સારું નહીં લાગતા તેઓએ ગાળો આપી હતી અને ત્યારે મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચએ લોખંડના પાઇપ વડે તેના પિતા શેરમામદભાઈને માથા અને શરીરે માર માર્યો હતો તેમજ નજુરમામદભાઈએ સેન્ટીંગના લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો અને સલમાને ઢીકાપાટુનો માર માર્યો હતો જયારે અંજુમબેને આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે દીકરા, પૌત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News