મોરબી પાલિકાના ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન સેવા દિને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા
SHARE
મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા
દરેક બાળકને પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય પણ ભૂલી શકતો નથી ત્યારે માતૃભૂમિ પ્રત્યે રહેલા ઋણના હેતુને સિદ્ધ કરવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માતૃભૂમિનું મહત્વ સમજાવતી એક અદભૂત સ્પર્ધા એટલે કે માતૃભૂમિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના વિષયો "મારું મોરબી કેવું હોવું જોઈએ..?", "મને મોરબી શા માટે ગમે છે...?" જેવા વિષયો સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી જેમાં ધો ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમે મેવા માહી મુકેશભાઈ, દ્વિતીય ક્રમે અગોલા ધન્વી અશોકભાઈ અને અખિયાણીયા ભવ્યા કમલેશભાઈ તેમજ તૃતીય ક્રમે રામાવત બંસી ભાવેશભાઈ રંગપરિયા વૈદેહી મહેશભાઈ વિજેતા બનેલ છે જેથી દરેકને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે