માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE













મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

દરેક બાળકને પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય પણ ભૂલી શકતો નથી ત્યારે માતૃભૂમિ પ્રત્યે રહેલા ઋણના હેતુને સિદ્ધ કરવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ૨૬  જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માતૃભૂમિનું મહત્વ સમજાવતી એક અદભૂત સ્પર્ધા એટલે કે માતૃભૂમિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના વિષયો "મારું મોરબી કેવું હોવું જોઈએ..?", "મને મોરબી શા માટે ગમે છે...?" જેવા વિષયો સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી જેમાં ધો ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમે મેવા માહી મુકેશભાઈ, દ્વિતીય ક્રમે અગોલા ધન્વી અશોકભાઈ અને અખિયાણીયા ભવ્યા કમલેશભાઈ તેમજ તૃતીય ક્રમે રામાવત બંસી ભાવેશભાઈ રંગપરિયા વૈદેહી મહેશભાઈ વિજેતા બનેલ છે જેથી દરેકને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News