મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE













મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

દરેક બાળકને પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય પણ ભૂલી શકતો નથી ત્યારે માતૃભૂમિ પ્રત્યે રહેલા ઋણના હેતુને સિદ્ધ કરવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ૨૬  જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માતૃભૂમિનું મહત્વ સમજાવતી એક અદભૂત સ્પર્ધા એટલે કે માતૃભૂમિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના વિષયો "મારું મોરબી કેવું હોવું જોઈએ..?", "મને મોરબી શા માટે ગમે છે...?" જેવા વિષયો સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી જેમાં ધો ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમે મેવા માહી મુકેશભાઈ, દ્વિતીય ક્રમે અગોલા ધન્વી અશોકભાઈ અને અખિયાણીયા ભવ્યા કમલેશભાઈ તેમજ તૃતીય ક્રમે રામાવત બંસી ભાવેશભાઈ રંગપરિયા વૈદેહી મહેશભાઈ વિજેતા બનેલ છે જેથી દરેકને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News