મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર-સુંદરકાંડનું આયોજન


SHARE







ટંકારાના હડમતિયા ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર-સુંદરકાંડનું આયોજન

ટંકારા તાલુકાના હડમતિયા ગામના મંદિરમાં બિરાજમાન આરાધ્યા દેવ શ્રી રામ અને સીતાજીનું રામજી મંદિર આશરે ૧૫ વર્ષ જુનું થવાથી ફરીથી રંગરોગાન કરી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી, શ્રીકૃષ્ણ અને રાધાજીની મૃર્તીઓનુ કલરકામ અને વાઘા (વસ્ત્રો) થી સુશોભીત બનાવીને આકર્ષક નું કેન્દ્ર બન્યાં છે સાથે ઘુમ્મટમાં રાસ ચિત્ર બનાવીને જાણે શ્રીકૃષ્ણ અને રાધાજી રાસે રમતા હોય તેમ લાગી રહ્યું છે. આ રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં આશરે ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ ગામના ઉધોગપતિઓ તેમજ ગ્રામજનો એ આપ્યો છે. આ કામમાં રાત-દિવસ મહેનત કરતા મુળજીભાઈ કામરીયા, જાદવજીભાઈ સિણોજીયા, કેશવજીભાઇ કામરીયા, હિતેષભાઇ મેરજા, જગદીશભાઈ સિણોજીયા, ઠાકરશીભાઈ મેરજા, રમેશભાઈ સિણોજીયા, પ્રભુભાઈ મેરજાએ મહત્વનું યોગદાન આપ્યું છે.






Latest News