મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


SHARE













ટંકારાની પોલીસે માર માર્યો હોવાની આરોપીઓએ મોરબીની કોર્ટમાં કરી ફરિયાદ: વકીલે આપી કોર્ટ ઓફ કોન્ટેમ્પટની અરજી


ટંકારા કોર્ટના જજ રજા ઉપર હોવાથી ટંકારા તાલુકાનાં ગામડામાં થયેલ મારામારીના ગુનામાં પકડેલા આરોપીઓનું પ્રોડક્શન મોરબીની કોર્ટમાં કરવામાં આવ્યું હતું ત્યારે આરોપીઓએ પોલીસે તેને માર માર્યો હોવાની ફરિયાદ કરતા જજે આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા હતા અને ત્યારબાદ વકીલ મારફતે ટંકારા પોલીસે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરીને કોર્ટ ઓફ કોન્ટેમ્પટ કરવામાં આવ્યું હોવાની અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ થયેલ મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીને ટંકારાની કોર્ટમાં જજ રજા ઉપર હોવાથી મોરબીમાં લાલબાગમાં આવેલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં તેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારે ટંકારા પોલીસ દ્વારા મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીઓને માર મારવામાં આવ્યો હોવા અંગેની આરોપીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેથી જજ દ્વારા આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ વકીલ જે.પી.પાંચોટિયા દ્વારા ટંકારા પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલંઘન કરવામાં આવ્યું છે અને કોર્ટ ઓફ કન્ટેમ્પટ કરેલ છે તેવી અરજી આપવામાં આવી છે.

વધુમાં વકીલ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા અને જો આરોપીને પકડવાનો હોય તો સીઆરપીસી ૪૧ મુજબ નોટિસ દેવી અને અટકના કારણો રજૂ કર્યા બાદ તેને ધરપકડ કરી શકાય છે જોકે ટંકારા પોલીસે આવું કશું જ કર્યું નથી અને મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આટલું ઓછું હોય જે આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને મોરબીની પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં પ્રોડક્શન માટે રજૂ કરવામાં આવ્યા હતા તે ચાર પૈકીનો એક આરોપી સગીર હોવાનું કોર્ટમાં સામે આવતા તેને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે જે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં પ્રોડક્શન માટે લઈને આવવામાં આવ્યા હતા તેમાં સગીર છે તેની પણ પોલીસને કેમ જાણ ન હતી ? તે પણ એક તપાસનો વિષય છે.






Latest News