રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરની સેવાની ધારાસભ્યે રૂબરૂ મુલાકાત લીધી, સતવારા જ્ઞાતિની વાડીએ પણ સેવાયજ્ઞ


SHARE











મોરબી જલારામ મંદિરની સેવાની ધારાસભ્યે રૂબરૂ મુલાકાત લીધી, સતવારા જ્ઞાતિની વાડીએ પણ સેવાયજ્ઞ

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે અવિરત સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે હાલ વાવાઝોડાંના કહેર વચ્ચે મોરબી જીલ્લાના પ્રભાવિત વિસ્તારના સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અવિરત કરવામાં આવી રહી છે.તંત્ર દ્વારા લોકો ને સ્થળાંતરિત કરી વિવિધ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલ છે.તે જગ્યાએ રૂબરૂ જઈ મોરબી જલારામ મંદિરના આગેવાનો ફુડ પેકેટ વિતરણ કરી રહ્યા છે.ત્યારે જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં યોજાઈ રહેલ આ સેવાયજ્ઞની મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર પરમાર રૂબરૂ મુલાકાત લઈ મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવી હતી.

મોરબી શ્રી જલારામ મંદિરના સેવાકાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, દીપકભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, સચિનભાઈ કાનાબાર, પ્રવિણભાઈ કારીયા, કીશોરભાઈ ચંડીભમર, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, જયેશભાઈ કંસારા, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, અરવિંદભાઈ સોમૈયા, નરશીભાઈ રાઠોડ, દીનેશભાઈ સોલંકી, ભીખાભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, જીતુભાઈ કોટક, કૌશલભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, નવીનભાઈ મહેતા, હીતેશભાઈ મેહતા, જયેશભાઈ ટોળીયા, નારણભાઈ મકવાણા, દેવરામભાઈ રામાનુજ, ચંદ્રિકાબેન માનસેતા, પ્રિતીબેન ચંદારાણા, રશ્મિબેન કોટક, દક્ષાબેન મીરાણી, રીનાબેન ચૌહાણ, લીલાબેન પુજારા, મીનાબેન ભટ્ટી, સોનલબેન ઠાકોર સહીતના જોડાયા છે.

સતવારા જ્ઞાતિની વાડીએ સેવાયજ્ઞ

મોરબીમાં બિપોરજોય  વાવાઝોડાને કારણે  મોરબી સતવારા જ્ઞાતિની વાડી કલિકા પ્લોટમાં આશરે સો- સવાસો માણસોને આશ્રય આપવામાં આવેલ  અને મોરબી  સતવારા સમાજ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ વ્યવસ્થામાં ઉપસ્થિત મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયા, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઈ કંઝારીયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમાર, મોરબી જિલ્લા સતવારા કર્મચારીના મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, મંત્રી પ્રકાશભાઈ સોનગ્રા, માધાપર સતવારા જ્ઞાતિ વાસણ સમિતિના પ્રમુખ તથા ટ્રસ્ટી હરિભાઈ કંઝારિયા, કિશોરભાઈ પરમાર, કેસુભાઈ જાદવ, રતિભાઈ મિસ્ત્રી, કાંતિલાલ ડાભી રસોઈયા હરિભાઈ કંઝારિયા વગેરે આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ બનવા પ્રયત્ન કર્યો હતો.






Latest News