મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા


SHARE







મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં કારખાનામાં મજૂરી ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મૂળ ઓડિસાના રહેવાસી યુવાનનું કારખાનાની ઓરડીમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હોવાનું હાલમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના મછાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા કિશોરચંદ્ર હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૩૦) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ જમીને પોતાની મજૂરની ઓરડીમાં સૂતો હતો અને ત્યાર બાદ તે સવારે ઉઠ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને લક્ષ્મીધારા હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૧૮) રહે. હાલ ઝેડ સીરામીક લેબર કવાર્ટર મોરબી વાડીએ જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે






Latest News