ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!


SHARE











હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!

થોડા સમય પહેલા મોરબીમાં વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા તે રીતે મોરબીના રવાપર રોડ ઉપર પણ એક વૃક્ષ પડી ગયુ હતુ જે આજની તારીખે ઉપાડવામાં આવ્યુ નથી..! માટે લોકોમાં આ બાબતમાં રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકા કઈ હદે નિંભરતા દાખવી રહી છે અને તેનો આ નાદાર નમૂનો મોરબીના મુખ્ય માર્ગ સમા રવાપર રોડ ઉપર પણ જોવા મળી રહ્યો છે જો શહેરના મુખ્ય માર્ગો ઉપર આ હાલત હોય તો છેવાડાના વિસ્તારોની શું હાલત હશે તે વાચકોએ સ્વયં સમજી લેવું.

રબીવાસીઓએ મોરબી પાલિકાની જ તમામ સીટો નહીં પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભારે મોટી બહુમતી ભાજપને આપી હતી છતાં પણ આજે શું સ્થિતિ છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.જો કોઇ વિસ્તારના લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવા માટે જાય તો ચૂંટાયેલા સભ્યો કહે છે કે હવે અમે ક્યાં સત્તામાં છીએ પરંતુ જો ઉપરથી કોઈ મવડી મંડળનો કાર્યક્રમ આવે તો તાબડતોબ કલેકટર સહિતનાઓને કામે લગાડીને કામ કરાવવામાં આવે છે પરંતુ છેવાડાના નાગરિકોની કોઈ દરકાર લેવામાં આવતી નથી અને આજે વરસાદના સમયે છેવાળાના વિસ્તારમાં શું હાલત છે તે ચૂંટણી માટે જે લોકો મત માંગવા માટે પહોંચતા હતા તે લોકોએ છેવાડાના વિસ્તારની મુલાકાત લઇને તે વિસ્તારની દરકાર લેવી જોઈએ.જો વાત કરીએ તો

બિપોરજોય વાવાજોડામાં બાપા સીતારામ ચોકથી નિલકંઠ વિદ્યાલય બાજુ રવાપર રોડ ઉપર એક ઝાડ (વૃક્ષ) પડીગયુ હતુ તે ઝાડ આજના દિવસ સુધી ઉપાડવામાં આવેલ નથી..! શું પાલીકાના કોઈ અધિકારી કે સરકારી સંસ્થા કે આ વિસ્તારના ચુંટાયેલ આગેવાનો (જે ચુંટણી ટાંણે લોકોને હથેડીમાં ચાંદ બતાવતા હતા તે.) કે અન્ય કોઇ એજન્સીની જવાબદારી મોરબીને સ્વચ્છ રાખવાની નથી..? જો હોય તો તેઓ પોતાની આળસ ઉડાળીને આવા રોજિંદા કામોમાં કામે લાગે તે જરૂરી બન્યું છે.






Latest News