મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE







ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સો પાસેથી ૨.૪૦ લાખ વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ દિલીપભાઈ અમરશીભાઈ જાદવને પૈસાની જરૂર હતી ત્યારે ઘનશ્યામસિંહ પાસેથી બે લાખ રૂપિયા અને દિલીપભાઈ પાસેથી ૪૦ હજાર આમ કુલ મળીને ૨.૪૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી બંને શખ્સો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગાળો આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પતિ દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ફરિયાદી મહિલાને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News