ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ


SHARE











મોરબીના ભક્તિનગર-નવલખી ફાટક સુધીમાં એક પણ મેળાને મંજૂર ન આપવાની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક સુધીના વિસ્તારમાં ખાનગી મેળાઓને મંજૂરી ન આપવા આવે તેના માટે કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ, અવાજનું પ્રદુષણ સહિતના અનેક પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને બાયપાસ રોડ ઉપર એક પણ લોકમેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો લોક લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરીને કોર્ટ કાર્યવાહી કરી લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના ભક્તિનગર સર્કલથી લઈને નવલખી ફાટક સુધીના વિસ્તારમાં એકથી બે મહિના સુધી લોકમેળાના ખાનગી આયોજનો કરવામાં આવતા હોય છે અને તેમાં મોડી રાત સુધી માઇક વગાડવામાં આવતા હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અને વાંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

આટલું જ નહીં પરંતુ ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક તરફ જતો રસ્તો કચ્છ અને રાજકોટને જોડતો મુખ્ય રોડ છે ત્યાં આમ પણ ટ્રાફિક વધારે રહેતો હોય છે અને ટ્રાફિક તથા અવાજનું પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઉદ્ભવતા હોવાના કારણે આ હાઇવે રોડ ઉપર કોઈપણ લોકમેળાને મંજૂરી આપવામાં ન આવે તેવી સ્થાનિક લોકોની લાગણી અને લાગણી છે તેને ધ્યાને લઈને તે વિસ્તારમાં કોઈ પણ ખાનગી મેળાને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને જો લોકોની લાગણીની અવગણના કરવામાં આવશે તો ના છૂટકે જનતા રેડ કરી કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને લોકમેળા બંધ કરાવવાની ફરજ પડશે તેવી રમેશભાઈ રબારીએ ચીમકી ઉચ્ચારી છે 






Latest News