ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો


SHARE











મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની પેરોલ ફર્લો ટીમ દ્વારા ઝડપી પાડીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં હાજર ન થયેલા હોય ગુનામાં ફરાર હોય તેવા તેમજ પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમી આધારે હળવદ પોલીસ મથકમાં ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપી વિપુલ અમરશી રાઠોડ (૩૨) રહે.જુના ધનાળા તા. હળવદ જી.મોરબીને હળવદના સરા નાકાથી દબોચીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.

વાહન અકસ્માતમાં ઇજા

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ ઠાકોર નામનો ૩૬ વર્ષનો યુવાન ભચાઉ-લોએજ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બમ્પમા તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામેલ મનસુખ ઠાકોરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ગુજરવદી ગામે રહેતા ગીતાબેન પ્રવીણભાઈ મિસ્ત્રી નામના ૬૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જયરાજ નળિયાના કારખાના નજીક રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી નામના ૫૦ વર્ષીય આધેડને મહેન્દ્રનગર ચોકડીએ સીએનજી પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા






Latest News