આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં


SHARE













ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ કારખાનામાં કામ બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવવામાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિઓને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ ફનવેવ કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આકાશ જયસુખભાઈ પરમાર (૧૯) રહે. છતર તેમજ રાજુ બાબુભાઈ ગમારા (૨૦), વિપુલસિંહ દશરથસિંહ જાડેજા (૨૪) અને રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા (૩૨) રહે ત્રણેય વીરવાવ તાલુકો ટંકારા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને આકાશ પરમારને સારવાર માટે રાજકોટ અને અન્ય ત્રણ ઇજા પ્રશ્નોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલ છે અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ પટેલે ચલાવી હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કારખાનામાં કામ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે મારામારીનો બનાવ બન્યો છે તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવ અંગેની જાણ કરવામાં આવી છે

મારા મારતા ઇજા

વાંકાનેરમાં બહુચરાજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના પડવલ ગામે રહેતા પ્રવીણભાઈ મારાભાઈ ખરેખા (૪૫) અને રસિકભાઈ નાથાભાઈ કરેડી (૩૫)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને આ બંને વ્યક્તિને અજાણ્ય શખ્સ દ્વારા ઢિકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીતેશ રાજુભાઈ મુંધવા (૨૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છ






Latest News