મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડે ક્વાર્ટર પાસે સૂતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં મોત

વાંકાનેર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટર પાસે બહારના ભાગમાં ખાટલો રાખીને યુવાન સૂતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતાં તે યુવાને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસના ક્વાર્ટરમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ જાતે અનુ. જાતી (૪૦) પોતાના ઘર પાસે બહારના ભાગમાં ખાટલો નાખીને સૂતા હતા દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક સીરામીક કારખાનામાં રહેતા અને કામ કરતા બબલુભાઈ લખનભાઇ મારડી (૩૨) સીરામીક કારખાનાની લેબર ક્વાર્ટરમાં ઘરે સુતા હતા ત્યારે અગમ્ય કારણોસર શ્વાસ બંધ થઈ જતા તેને રીક્ષામાં તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News