મોરબી જીલ્લામાં આઇ ખેડુત પોર્ટલમાં અરજી કરવાનું સોમવારથી શરૂ
મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ
SHARE
મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ
મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે જેની યાર્ડના કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને નાના વાહન ચાલકો, રેકડી વાળા અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ કામગીરી માટે માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, યાર્ડના દુકાન ધારકોના હિતને નુકશાન પહોચાડવાના મલિન ઇરાદા સાથે યાર્ડના ગેટ પાસે સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતા, ટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઉભુ રાખી સીધું વેચાણ કરવા દેતા, ગ્રાહકો અંદર પડેલ ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકીને કારણે માલની ખરીદ કરવા આવતા નથી જેથી કૈરને વેપારીઓને નુકશાન થાય છે માટે યાર્ડ અધિકારી, કર્મચારી કે ચૂંટાયેલ પ્રતિનિધિઓને ગ્રાહક, દુકાન ધારકોની પરેશાની દૂર કરવા માટે ત્વરિત કામગીરી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેવું વેપારી એસોસિયેશનએ જણાવ્યુ છે