માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE













મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

થોડા સમય પહેલા જૂનાગઢમાં એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું જેથી કરીને લોકોના મોત થયા હતા આવી જ ઘટના મોરબી જિલ્લા પંચાયત હસ્તકના મકાનમાં ન બને તે માટે ડીડીઓની સૂચનાથી ૫૦ વર્ષ પહેલા આવસોને તોડી પાડવામાં આવેલ છે અને ત્યાં ગેરકાયદેસર રહેતા રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યોને ત્યાંથી હટાવીને દબાણ દૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે બીઆરસી ભવનની બાજુમાં મોરબી તાલુકા પંચાયતના ૧૯૭૨ માં બનેલ જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. અને ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાની સૂચના મુજબ ટીડીઓ દીપાબેન એચ. કોટકની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા માટની કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને ગઇકાલે નોટીસો આપવામાં આવી હતી અને આજે સવારે ગેરકાયદેસર કબજો દુર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને જર્જરિત આવાસો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દુર કરવામાં આવ્યું છે અને હાલમાં જર્જરિત આવાસો પાડીને અંદાજે  ૬૦૦૦ ચો.મી.નું દબાણ દુર કરેલ છે તેમજ ડીડીઓએ ભવિષ્યમાં આ જ્ગ્યા ઉપર જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારી માટે આવાસ બનાવવામાં આવશે તેવું જણાવ્યુ છે






Latest News