મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE







મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

થોડા સમય પહેલા જૂનાગઢમાં એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું જેથી કરીને લોકોના મોત થયા હતા આવી જ ઘટના મોરબી જિલ્લા પંચાયત હસ્તકના મકાનમાં ન બને તે માટે ડીડીઓની સૂચનાથી ૫૦ વર્ષ પહેલા આવસોને તોડી પાડવામાં આવેલ છે અને ત્યાં ગેરકાયદેસર રહેતા રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યોને ત્યાંથી હટાવીને દબાણ દૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે બીઆરસી ભવનની બાજુમાં મોરબી તાલુકા પંચાયતના ૧૯૭૨ માં બનેલ જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. અને ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાની સૂચના મુજબ ટીડીઓ દીપાબેન એચ. કોટકની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા માટની કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને ગઇકાલે નોટીસો આપવામાં આવી હતી અને આજે સવારે ગેરકાયદેસર કબજો દુર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને જર્જરિત આવાસો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દુર કરવામાં આવ્યું છે અને હાલમાં જર્જરિત આવાસો પાડીને અંદાજે  ૬૦૦૦ ચો.મી.નું દબાણ દુર કરેલ છે તેમજ ડીડીઓએ ભવિષ્યમાં આ જ્ગ્યા ઉપર જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારી માટે આવાસ બનાવવામાં આવશે તેવું જણાવ્યુ છે






Latest News