મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ


SHARE













મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને બેફામ ગાળો આપી હતી અને હોકી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા લોપારામ કાનારામ મીના જાતે ઠાકૂર (૨૮)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે આવીને બંને આરોપીઓ બેફામ ગાળો બોલતા હતા અને ત્યારે તે બહાર આવતા તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સત્યદીપસિંહે હોકી વડે તેને ડાબા પગમાં સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ પાર્થ તેરૈયા અને સિદ્ધાર્થ લોહારને પણ હોકી વડે અને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા (૨૭) અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા (૨૨) રહે. બંને મોમાઈ કૃપા કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
રાજકોટના રહેવાસી આયુષ સંજયભાઈ મગથરીયા (૨૧) મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ શનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિર નજીક હતો તારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયે હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News