મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ: આરોપીને પકડવા- સગીરને શોધવા તજવીજ


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ: આરોપીને પકડવા- સગીરને શોધવા તજવીજ

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટેના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાંરહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અગાઉ તેની દીકરીને શાંતિવન સોસાયટીમાં રહેતા કાસમ ઉમેદ મોવર નામનો શખ્સ હેરાન કરતો હતો અને પાછળ પાછળ ફરતો હતો અને હાલમાં ફરિયાદીની દીકરીનું અપહરણ કરી ગયેલ છે જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટિમ ચલાવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન રાજેશભાઈ લો (૧૨) નામની બાળકી વૃંદાવન સોસાયટી બાજુ જઈ રહી હતી ત્યારે દરિયાલાલ વે બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધ નગરમાં રહેતો સંજય ચમનભાઈ સોલંકી (૨૩) નામનો યુવાન મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે હતો ત્યારે ત્યાં પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ સંજયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News