મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો


SHARE













મોરબીમાં વેપારીના આપઘાત કેસમાં બે આરોપીનો છુટકારો

મોરબીમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતા વેપારીએ ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને વેપારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બન્ને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે

વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં લાતીપ્લોટમાં ઘડિયાળના ફોઈલિંગનું કામ કરતાં વેપારી રસિકભાઈ શામજીભાઈ મારૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ તેના દીકરા જયકુમાર રસિકભાઈ મારૂએ આરોપી મહાવીરસિંહ ઉર્ફે રહુભા રાઠોડ રહે. હાઉસિંગ બોર્ડ સામાકાંઠે મોરબી અને ભાવેશભાઈ વિનુભાઈ મહેતા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ઉછીના પૈસા લીધા હતા જેની બંને આરોપીઓ દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને બચાવ પક્ષે એડવોકેટ બ્રિજેશભાઈ (ટીનાભાઇ) નંદાસણાએ કરેલ ધારદાર દલીલો, ઉલટ તપાસ ઉપરાંત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને છોડી મુકવા આદેશ કરેલ છે






Latest News