મોરબી લાયન્સ કલબ સીટીની ટીમ દ્વારા મોટાભેલા- રાસંગપરમાં બે પ્રોજેકટ કરાયા
વાંકાનેરના અમરસર નજીક યુવાને પોતાની વાડીમાં અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
SHARE
વાંકાનેરના અમરસર નજીક યુવાને પોતાની વાડીમાં અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
વાંકાનેર નજીક અમરસર ગામે રહેતા યુવાને પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા નરેશભાઈ ત્રીકમભાઈ ધંધુકિયા (૨૮) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના ડેડબોડીને સામતભાઈ કાનજીભાઈ ધંધુકિયા (૫૦) રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની સામતભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવાની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.