મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી : મજાક મસ્તી દરમિયાન સીડી ઉપરથી નીચે પડી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE















મોરબી : મજાક મસ્તી દરમિયાન સીડી ઉપરથી નીચે પડી ગયેલ યુવાનનું સારવારમાં મોત


મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાકડધાર ગામ પાસે સિરામિક યુનિટમાં લેબર ક્વાર્ટરમાં મજાક-મસ્તી દરમિયાન સીડી ઉપરથી બે યુવાનો નીચે પડી ગયા હતા.જેથી બંનેને સારવાર માટે લઇ જવાયા હતા.જેમાં બે પૈકીના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસેના બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા બે યુવાનો મજાક મસ્તી કરતા હતા અને વરસાદી માહોલમાં ભીની સીડીના લીધે બંને નીચે પટકાયા હતા.જેથી બંનેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એકને રાજકોટ ખસેડાયો હતો.વધુમાં મોરબી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં રહેતા બબલુભાઈ જગદીશભાઈ (ઉમર ૨૫) અને નીરજ વિજયભાઈ ડામોર (ઉમર ૨૦) બંનેને ઇજા પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી નીરજ ડામોરને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે બબલુભાઈ જગદીશભાઈને વધુ ઈજા થયેલ હોય રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.દરમિયાનમાં મોરબી ખાતે સારવારમાં રહેલા નીરજ વિજયભાઇ ડામોર (ઉમર ૨૦) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર હદ વિસ્તારનો હોવાથી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે ભરત ફાર્મની પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધનંજયકુમાર (ઉંમર ૩૨) રહે.અલ્હાબાદગંજ જહાનાબાદ બિહાર વાળાને ઈજા પહોંચી હતી.તે ટ્રક લઈને મુન્દ્રાથી મોરબી તરફ આવતો હતો ત્યારે ત્યાં વાહન અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ચાર-પાંચ લોકો દ્વારા તેને માર મારવામાં આવતા મોન્ટુ દલસાણીયા દ્વારા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થયેલી હોવાથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ચકમપર ગામના સવજીભાઈ સોમાભાઈ ડાભી નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ બાઈકમાં બેસીને બહાર જતા હતા ત્યારે જેતપર દેવળિયા રોડ ઉપર તેઓના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં સવજીભાઈ ડાભીને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી.






Latest News