એક અરજીની અસર !: મોરબી પાલિકાએ રોડ સાઈડના દબાણોને હટાવવાના કામના કર્યા શ્રીગણેશ
મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા
SHARE
મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા
મોરબીમાં બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલોએ કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા પાંચેય આરોપીને છોડી મૂકવા માટે હુકમ કરવામા આવેલ છે
આ કેસમાં ફરીયાદની વિગત એવી હકીકત હતી કે, આરોપી ગોવિંદ હ૨જી મહેશ્વરી રહે. ભારાપર વાળાએ પોતાના સાંઈ સ્ટુડીયોમાં ૨૦૦૦, ૫૦૦ તથા ૧૦૦ ના દરની ચલણી નોટો સ્કેન તેને પેન ડ્રાઈવમાં નાખી પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં ચડાવી કલર પ્રીન્ટરથી નોટોની પ્રીન્ટ કાઢી બનાવટી (જાલી) નોટો બનાવી આરોપી હર્ષદ રજનીકાંત દિવાણી અને મયુર હરીપ્રસાદ નિમાવત, જયદિપકુમાર કૌશીકકુમાર જોષી અને ઈમરાન કરીમભાઈ સંઘવાણીને જાલી નોટ હોવાનુ પોતે જાણતા હોવા છતાં આપી હતી અને તે નોટો અલગ અલગ જગ્યાએ વટાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોતાના કબજામાં પણ આવી બનાવટી નોટો રાખીને દેશના અર્થતંત્ર ને નુકશાન કરવાના ઈરાદે બજારમાં મુકી તેમજ પોતાના કબજામાં રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ હોય પોલીસે તમામ આરોપીઓને પકડી આઈ.પી.સી. કલમ ૪૮૯ (એ), ૪૮૯ (બી), ૪૮૯ (સી), તથા કલમ ૧૧૪ ના ગુન્હાનુ ચાર્જશીટ કર્યું હતું અને મો૨બીના પીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી.સી. જોષીની કોર્ટમાં કેસ ચાલી જતા આ કેસમાં હર્ષદ રજનીકાંત તથા મયુર હરીપ્રસાદ નિમાવતના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. ૫૨મા૨ તથા અન્ય આરોપી વતી વકીલ જે.એ. ઓઝા, ફેનીલ ઓઝા, ચીરાગ ડી. કારીયા તથા એચ.એન.મહેતા રોકાયેલ હતા જેમાં વકીલોની દલીલોને તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને છોડી મૂકવા આદેશ કરેલ છે









