જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા


SHARE













મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા

મોરબીમાં બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલોએ કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા પાંચેય આરોપીને છોડી મૂકવા માટે હુકમ કરવામા આવેલ છે

આ કેસમાં ફરીયાદની વિગત એવી હકીકત હતી કે, આરોપી ગોવિંદ હ૨જી મહેશ્વરી રહે. ભારાપર વાળાએ પોતાના સાંઈ સ્ટુડીયોમાં ૨૦૦૦, ૫૦૦ તથા ૧૦૦ ના દરની ચલણી નોટો સ્કેન તેને પેન ડ્રાઈવમાં નાખી પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં ચડાવી કલર પ્રીન્ટરથી નોટોની પ્રીન્ટ કાઢી બનાવટી (જાલી) નોટો બનાવી આરોપી હર્ષદ રજનીકાંત દિવાણી અને મયુર હરીપ્રસાદ નિમાવત, જયદિપકુમાર કૌશીકકુમાર જોષી અને ઈમરાન કરીમભાઈ સંઘવાણીને જાલી નોટ હોવાનુ પોતે જાણતા હોવા છતાં આપી હતી અને તે નોટો અલગ અલગ જગ્યાએ વટાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોતાના કબજામાં પણ આવી બનાવટી નોટો રાખીને દેશના અર્થતંત્ર ને નુકશાન કરવાના ઈરાદે બજારમાં મુકી તેમજ પોતાના કબજામાં રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ હોય પોલીસે તમામ આરોપીઓને પકડી આઈ.પી.સી. કલમ ૪૮૯ (એ), ૪૮૯ (બી), ૪૮૯ (સી), તથા કલમ ૧૧૪ ના ગુન્હાનુ ચાર્જશીટ કર્યું હતું અને મો૨બીના પીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી.સી. જોષીની કોર્ટમાં કેસ ચાલી જતા આ કેસમાં હર્ષદ રજનીકાંત તથા મયુર હરીપ્રસાદ નિમાવતના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. ૫૨મા૨ તથા અન્ય આરોપી વતી  વકીલ જે.એ. ઓઝા, ફેનીલ ઓઝા, ચીરાગ ડી. કારીયા તથા એચ.એન.મહેતા રોકાયેલ હતા જેમાં વકીલોની દલીલોને તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને છોડી મૂકવા આદેશ કરેલ છે






Latest News