મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા


SHARE















મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટે બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીને છોડી મૂક્યા

મોરબીમાં બોગસ ચલણી નોટના ગુન્હામાં પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હતા તે કેસ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલોએ કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા પાંચેય આરોપીને છોડી મૂકવા માટે હુકમ કરવામા આવેલ છે

આ કેસમાં ફરીયાદની વિગત એવી હકીકત હતી કે, આરોપી ગોવિંદ હ૨જી મહેશ્વરી રહે. ભારાપર વાળાએ પોતાના સાંઈ સ્ટુડીયોમાં ૨૦૦૦, ૫૦૦ તથા ૧૦૦ ના દરની ચલણી નોટો સ્કેન તેને પેન ડ્રાઈવમાં નાખી પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં ચડાવી કલર પ્રીન્ટરથી નોટોની પ્રીન્ટ કાઢી બનાવટી (જાલી) નોટો બનાવી આરોપી હર્ષદ રજનીકાંત દિવાણી અને મયુર હરીપ્રસાદ નિમાવત, જયદિપકુમાર કૌશીકકુમાર જોષી અને ઈમરાન કરીમભાઈ સંઘવાણીને જાલી નોટ હોવાનુ પોતે જાણતા હોવા છતાં આપી હતી અને તે નોટો અલગ અલગ જગ્યાએ વટાવી ખરા તરીકે ઉપયોગ કરી તેમજ પોતાના કબજામાં પણ આવી બનાવટી નોટો રાખીને દેશના અર્થતંત્ર ને નુકશાન કરવાના ઈરાદે બજારમાં મુકી તેમજ પોતાના કબજામાં રાખી એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ હોય પોલીસે તમામ આરોપીઓને પકડી આઈ.પી.સી. કલમ ૪૮૯ (એ), ૪૮૯ (બી), ૪૮૯ (સી), તથા કલમ ૧૧૪ ના ગુન્હાનુ ચાર્જશીટ કર્યું હતું અને મો૨બીના પીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી.સી. જોષીની કોર્ટમાં કેસ ચાલી જતા આ કેસમાં હર્ષદ રજનીકાંત તથા મયુર હરીપ્રસાદ નિમાવતના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. ૫૨મા૨ તથા અન્ય આરોપી વતી  વકીલ જે.એ. ઓઝા, ફેનીલ ઓઝા, ચીરાગ ડી. કારીયા તથા એચ.એન.મહેતા રોકાયેલ હતા જેમાં વકીલોની દલીલોને તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને છોડી મૂકવા આદેશ કરેલ છે






Latest News