મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ


SHARE







મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જો કે, પાણીમાં ડૂબી રહેલા લોકોમાંથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે ફાયરની ટીમ પણ સ્થળ ઉપર આવી ન હતી ત્યારે મોરબી પોલીસના એક કે બે નહીં ૧૭ જેટલા જવાનો દ્વારા પાણીમાં ઝંપલાવીને લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી જેના લીધે મૃત્યુ આંકને ઘટાડી શકાયો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે તાજેતરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક ખાનગી  ચેંલનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના પોલીસ જવાનોની ટીમ વતી પોલીસ કર્મચારી વિજયભાઈ ચાવડાને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે






Latest News