મોરબીના ભરતનગર ગામે ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો
મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ
SHARE
મોરબીની ઝૂલતા પુલ ઘટનામાં પોલીસે કરેલ કામગીરીની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવાઈ
મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જો કે, પાણીમાં ડૂબી રહેલા લોકોમાંથી વધુમાં વધુ લોકોને બચાવી શકાય તે માટે ફાયરની ટીમ પણ સ્થળ ઉપર આવી ન હતી ત્યારે મોરબી પોલીસના એક કે બે નહીં ૧૭ જેટલા જવાનો દ્વારા પાણીમાં ઝંપલાવીને લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી જેના લીધે મૃત્યુ આંકને ઘટાડી શકાયો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે તાજેતરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક ખાનગી ચેંલનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના પોલીસ જવાનોની ટીમ વતી પોલીસ કર્મચારી વિજયભાઈ ચાવડાને મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ હ્યુમેનિટેરિયન એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ છે









