વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે સ્થળેથી દારૂની ૬ બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE













મોરબીમાં જુદાજુદા બે સ્થળેથી દારૂની ૬ બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે અને ન્યુ રેલવે કોલોની પાસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે દારૂની કુલ મળીને છ બોટલ સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ૬૦૦૦ ની કિંમતની દારૂની બોટલોને કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં મણીમંદિર નજીક આવેલ ખાખરેચી દરવાજા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ફારુકભાઈ તૈયબભાઈ ચાનિયા જાતે સંધિ મુસ્લિમ (૩૮) રહે. વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની મોંઘીદાટ બોટલ તે કોની પાસેથી લાવ્યો હતો ? અને કોને આપવા જઈ રહ્યો હતો ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોની પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા જાતે ભરવાડ (૨૬) રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા નવઘણભાઈ આયદાનભાઈ સવસેટા જાતે બોરીચા (૨૯)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે ૨૭ જીસી ૩૫૮૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, ટંકારા જામનગર રોડ ઉપર આવેલ બંગાવડી ગામના પાટીયા પાસેથી તેના ભાઈ મહેશભાઈ આયદાનભાઈ સવસેટા કાર નંબર જીજે ૩૬ આર ૪૩૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની કારને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મહેશભાઈને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News