ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું
SHARE
ટંકારાના સજનપર ગામે શાળામાં લાઈફ સ્કીલ-આનંદમેળાનું આયોજન કરાયું
ટંકારાના સજનપર ગામે શાળામાં "લાઈફસ્કીલ આનંદમેળા' ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધો. ૬ થી ૮ ના બાળકોને પ્રાથમિક કક્ષાથી જ ધંધાકીય આવડતનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ત્યારે બાળકોએ પોતાની રીતે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા જેમાં પાણીપુરી, ભેળ, દાબેલી, વેજીટેબલ સેડવીચ, પાઉંભાજી, ભૂંગરા બટેટા, ઘૂઘરા-સમોસા, ચના મસાલા, લિબુ સરબત-સોડા, કટલેરીની વસ્તુઓ વગેરે જેવા વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા હતા આ બધા જ સ્ટોલની મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓમા ધંધાકીય અભિગમ કેળવાય તે હેતુથી વાલીઓ અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પૈસા આપી નાસ્તાની ખરીદી કરી હતી અને વિદ્યાર્થીઓ વધુ નફો કેમ કમાવવોએ માટે યોગ્ય પ્રયત્ન કરે તે હેતુથી સૌથી વધુ નફો કરનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન કાવર માયાબેન અને દલસાણીયા ડિમ્પલબેનએ કર્યું હતુ અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જે બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવેલ છે.









