Morbi Today
મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો
SHARE
મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો
મોરબીના જુદાજુદા ચોક અને વિસ્તારમાં શહીદો અને ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે જો કે, તેની સફાઈ કરવામાં આવતી નથી તે હક્કિત છે ત્યારે ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિતે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવેલ પ્રતિમાની સફાઈ કરી હતી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે સુભાષચંદ્ર બોઝ, શહિદ ભગતસિંહની પ્રતિમાને સાફ સફાઈ કરીને ફુલહાર કર્યા હતા તેમજ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાવાની તેમાં રાધેભાઈ પટેલે ૧૭,૮૨૩ ભંડોળ આપેલ છે









