મોરબીના જેતપરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન સહિત બે ને માર મારવાના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ
મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે કરેલ જમીન અરજીમાં શું થયું ?: જાણો અહી
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે કરેલ જમીન અરજીમાં શું થયું ?: જાણો અહી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે પાંચ આરોપીઓ જામીન મુક્ત થયેલ છે જો કે, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા વકીલ મારફતે હાઇકોર્ટમા રેગ્યુલર જામીન માટે અરજી મુકેલ છે જેમાં આગામી ૨૮ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીઓ અત્યાર સુધીમાં હાઇકોર્ટમાંથી જામીન મુક્ત થયેલ છે અને હાલમાં બાકીના આરોપીઓ મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટમા વકીલ મારફતે અરજી કરેલ છે જો કે, ગઇકાલે તેની મુદત હતી પરંતુ અરજીનો ૩૩૩ મો ક્રમ હોવાથી ગઇકાલે વારો આવ્યો ન હતો જેથી કરીને હવે આગામી તા ૨૮ મી ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે









