માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આઈ.ટી.આઈ.માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે


SHARE













મોરબી જિલ્લાના આઈ.ટી.આઈ.માં ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના  વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ -૨૦૨3 માટેની ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે  ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૩-૦૮-૨૦૨૩ થી  શરૂ કરવામાં આવશે.


તમામ આઈ.ટી.આઈ. પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ. ટી.આઈ) ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી..આઈ. મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન મેરીટ આધારીત ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્રવેશ આપવાની પ્રક્રિયા તા.૨૩-૦૮-૨૦૨૩ થી ૩૧-૦૮-૨૦૨૩ દરમિયાન દરરોજ હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા જણાવાયું  છે. અને ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને પછી જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની  સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News