વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર
SHARE
વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર
વાંકાનેરમાં સાતમ આઠમનાં મેળા માટેનું મેદાન હરરાજી કરીને આપવામાં આવ્યું છે જો કે, નાગા બાવાજી મંદિર સામે તેમજ આસપાસના વિસ્તારના મેદાન સિવાય ગર્લ્સ હાઈસ્કૂલ અને બાપુના સ્ટેચ્યુથી મંદિર સુધી અસંખ્ય નાના મોટા વેપારીઓ સ્ટોલ પર વેપાર કરતા હોય તેમના માટે જગ્યા પાલિકા દ્વારા આપવામાં આવશે
વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું છે કે, સ્ટેચ્યુથી મંદિર સુધીમાં વેપારીઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે અને તેમાંથી થયેલ આવકને શહેરના વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, આ પાલિકાની જગ્યા છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા જ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને આ જગ્યા માટે વેપારીઓએ મેળાના આયોજકને કોઈ પ્રકારની રકમ આપવાની નથી અને જેને સ્ટોલ રાખવા હોય તે વેપારીઓને પાલિકા તરફથી ભાડાની રકમની પાવતી આપવામાં આવશે વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, મેળામાં દરેક રાઇડ્સનાં ભાવ વધારેમાં વધારે રાજકોટથી વધુ નહીં અને પેકિંગ ચીજ વસ્તુઓ પ્રિન્ટ ભાવથી વધુ વસૂલી શકશે નહિ









