મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર


SHARE







વાંકાનેરના લોકમેળાના મેદાન સિવાયની જગ્યામાં વેપારીઓને સ્ટોલ અપાશે: ચીફ ઓફિસર

વાંકાનેરમાં સાતમ આઠમનાં મેળા માટેનું મેદાન હરરાજી કરીને આપવામાં આવ્યું છે જો કે, નાગા બાવાજી મંદિર સામે તેમજ આસપાસના વિસ્તારના મેદાન સિવાય ગર્લ્સ હાઈસ્કૂલ અને બાપુના સ્ટેચ્યુથી મંદિર સુધી અસંખ્ય નાના મોટા વેપારીઓ સ્ટોલ પર વેપાર કરતા હોય તેમના માટે જગ્યા પાલિકા દ્વારા આપવામાં આવશે

વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું છે કે, સ્ટેચ્યુથી મંદિર સુધીમાં વેપારીઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે અને તેમાંથી થયેલ આવકને શહેરના વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, આ પાલિકાની જગ્યા છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા જ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને આ જગ્યા માટે વેપારીઓએ મેળાના આયોજકને કોઈ પ્રકારની રકમ આપવાની નથી અને જેને સ્ટોલ રાખવા હોય તે વેપારીઓને પાલિકા તરફથી ભાડાની રકમની પાવતી આપવામાં આવશે વધુમાં અધિકારી જણાવ્યુ હતુ કે, મેળામાં દરેક રાઇડ્સનાં ભાવ વધારેમાં વધારે રાજકોટથી વધુ નહીં અને પેકિંગ ચીજ વસ્તુઓ પ્રિન્ટ ભાવથી વધુ વસૂલી શકશે નહિ 






Latest News