મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE















વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં  આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવી જાણવા મળતીમાહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સાજીદભાઈની વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી ગોવિંદભાઈ અજોસિંગભાઈ મેડા જાતે આદિવાસી (૨૦) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતકના નાના ભાઈએ પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભૂલથી ગોવિંદભાઈ પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ જેક સીરામીકની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂમાં જથ્થો હોવાની બાતમી મોરબી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દોઢસો લીટર દારૂના જથ્થા સાથે અમિતભાઈ લાભુભાઈ વરાણીયા (૨૨) રહે. ત્રાજપર, બરકતશા ઉર્ફે ભાણો અલીશા શાહમદાર (૨૨) રહે. એલ.ઇ. કોલેજ પાસે મોરબી અને રાજેશભાઈ પ્રતાપભાઈ દેણીયા (૨૭) રહે વીસીપરા મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ જથ્થો કબજે કરી તેની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રમેશભાઈ પરષોત્તમભાઈ વરાણીયા રહે. ત્રાજપર વાળાના કહેવાથી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા રહે. માળિયા વનાળીયા સોસાયટી વાળા પાસેથી આ દારૂનો જથ્થો લઈને આવ્યા હોવાની માહિતી મળી છે જેથી તે બંનેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News