આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો


SHARE













મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો

એલઆઇસી મોરબી બ્રાંચ દ્વારા ફક્ત ત્રિસ મીનીટમા મૃત્યુ દાવાનો કલેઇમ પાસ કરી કિર્તીમાન સ્થાપીત કરેલ છે. મળતી માહીતી પ્રમાણે ગત ૨૩ મી ઓગષ્ટના રોજ બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે અને કલેઇમ વિભાગ દ્વારા માત્ર ત્રિસ મીનીટમા મૃત્યુ દાવો સેટલ કરી નવો કિર્તીમાન સ્થાપીત કરેલ છે.

મોરબી એલઆઇસી બ્રાંચના બ્રાંચ મેનેજર પ્રવિણ એલ.વાયસેએ યાદીમાં જણાવે છે કે સ્વ.ભરત મોહનભાઈ કાસુંદ્રાના મૃત્યુ દાવાની પ્રક્રિયા માત્ર ત્રીસ મીનીટમા પતાવીને ખુબજ ઝડપથી મૃત્યુ દાવો પાસ કરેલ છે.તેમના વારસદાર નિલેશભાઇ મોહનભાઈ કાસુંદરાએ એલઆઇસી દ્વારા કરેલ ત્વરીત દાવા પ્રક્રિયાથી પ્રભાવિત થઈ લાગણી સભર આભાર વ્યક્ત કરેલ છે.આ અવસરે સમાજમા પણ એલઆઇસી દ્વારા ખુબજ સરાહનીય કાર્ય થયેલ છે તેને વધાવેલ છે. એલઆઇસીએ પોતાના સુત્ર પ્રમાણે સમાજમા સંપાદીત કરેલ વિશ્વાસને સાર્થક કરેલ છે.

બ્રાંચ મેનેજર દ્વારા ખાસ જણાવેલ છે. કે સમાજના દરેક નાગરિકે ઓછામા ઓછી એલઆઇસીની એક પોલીસી તો લેવી જ જોઈએ.કારણ કે જીવન એ હર હંમેશ અનિશ્ચિત છે. ત્યારે આપણા કુટુંબને આર્થીક રક્ષણ પુરુ પાડે છે. વિમા દ્વારા કુટુંબને આર્થીક રક્ષણ મળે છે.આ દાવા પ્રક્રિયા પુરી કરવા માટે બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે, એજન્ટ પરેશ પટેલ હરિપર (ભુ.), વિકાસ અધિકારી મેહુલભાઇ સોલંકી, કલેઇમ વિભાગના સર્વે અધિકારીઓએ ખુબ જહેમત ઉઠાવેલ હતી.






Latest News