માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 


SHARE













હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હતી જેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને અકસ્માત બાદ બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરીને બનેવી સહિતના ત્રણ શખ્સોએ સાળાની હત્યા કરી હોવનું સામે આવ્યું છે

હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયાચંદુભાઈ જુબાટીયાભાઈછીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કેફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ હતી આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીના સ્ટાફે ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા (૩૦) રહે.ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી હાલ રહે.મેરૂપર ગામની સીમમાં યોગેશભાઇ દેવજીભાઇ પટેલની વાડીમાં તા.હળવદ જી.મોરબી, ચંદુભાઇ જંબટીયાભાઇ ધાનુક (૩૦) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી અને છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક (૨૫) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમ.પી નીધરપકડ કરીને હળવદ પોલીસ હવાલે કર્યા હતા આરોપીઓ ને પકડવાની આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, તથા પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News