મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત


SHARE













ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નિપજ્યુ છે જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં ટ્રક દિવાલ સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આમ જુદા જુદા બે અકસ્માતમાં બનાવવામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા નારણભાઈ પોપટભાઈ વાઘેલા (૩૭)એ હાલમાં તેમના મૃતક પિતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા (૬૫) ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામથી આગળ સિમેન્ટના કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એફ ૫૨૨૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતાર્યું હતું જેથી કરીને તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોપટભાઈ વાઘેલાને માથામાં અને શરીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતક ના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતમાં બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા નાગાભાઈ કારાભાઈ ચૌહાણ (૪૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૪૧૭ ના ચાલક તેના દિકરા નરેશભાઇ નાગાભાઈ ચૌહાણ (૨૫) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં આરોપી ટ્રક લઈને ગયેલ ત્યારે પાર્કિંગની દિવાલમાં ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News