મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત


SHARE













ટંકારાના નેસડા અને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર જુદા જુદા બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નિપજ્યુ છે જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં ટ્રક દિવાલ સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આમ જુદા જુદા બે અકસ્માતમાં બનાવવામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા નારણભાઈ પોપટભાઈ વાઘેલા (૩૭)એ હાલમાં તેમના મૃતક પિતા પોપટભાઈ પીતાંબરભાઈ વાઘેલા (૬૫) ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામથી આગળ સિમેન્ટના કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૨૩ એફ ૫૨૨૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતાર્યું હતું જેથી કરીને તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોપટભાઈ વાઘેલાને માથામાં અને શરીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતક ના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અકસ્માતમાં બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા નાગાભાઈ કારાભાઈ ચૌહાણ (૪૮)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૪૧૭ ના ચાલક તેના દિકરા નરેશભાઇ નાગાભાઈ ચૌહાણ (૨૫) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ પર આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનામાં આરોપી ટ્રક લઈને ગયેલ ત્યારે પાર્કિંગની દિવાલમાં ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News