મોરબીમાં રહેતા માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી
મોરબીના ચાંચાપર ગામે ૪૨૦૦ ચો.મી. જમીન ઉપર કરાયેલ દબાણ હટાવ્યું
SHARE
મોરબીના ચાંચાપર ગામે ૪૨૦૦ ચો.મી. જમીન ઉપર કરાયેલ દબાણ હટાવ્યું
મોરબી તાલુકાના ચાંચાપર ગામે ૧૦૦ ચો.વાર ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ હતી જો કે, ત્યે જમીન ઉપર દબાણ હતું તેને જિલ્લા વિકાસ અધિકારીના માગ્દર્શન હેઠળ દૂર કરવામાં આવેલ છે
મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માગ્દર્શન હેઠળ દબાણ દુર કરવામાં આવ્યું હતું ત્યારે મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ), રેવન્યુ તલાટી, જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી, ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં.૨૯ પૈકી મા ૧૦૦ ચો.વાર ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ હતી અને સવાલવાળી જમીનની બાજુની જમીનમા સ.નં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનું વાવેતર, આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરીને આશરે ૪૨૦૦ ચો.મી.નુ દબાણ કરલે હતું જે દબાણ દુર કરવામા આવેલ છે અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ જગ્યામાં ટુંક સમયમાં ૧૦૦ ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.