મોરબીના ચાંચાપર ગામે ૪૨૦૦ ચો.મી. જમીન ઉપર કરાયેલ દબાણ હટાવ્યું
મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ
SHARE
મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ
મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સરપંચો સામે રાજકીય કિન્નાખોરી કે પછી અન્ય કોઈ કારણોસર ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આવી ખોટી ફરિયાદો કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ઘણી વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે અને સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવાની પણ માંગ કરેલ છે