માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે


SHARE













મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં  ૭ વ્યવસ્થાપક, ૭ રસોયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી થતી હોય. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં મોરબી તાલુકા મામલતદારશ્રીની કચેરી રૂમ નં.૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરીએ રૂબરૂ કચેરીના કામકાજના સમયે અરજી પહોંચતી કરવાની રહેશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હોય તેને જે-તે તારીખે અભ્યાસ તથા ઉમર અંગેના અસલ આધારો સાથે સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

વ્યવસ્થાપક એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. જ્યારે રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચુંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોંટાડીને પોતાનો ફોન નંબર લખવાનો રહેશે.

નવા પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં નિમણુંક માટે સમયમર્યાદામાં મામલતદાર કચેરી-મોરબી ખાતે કચેરીના સમય દરમ્યાન અરજીઓ મોકલી આપવાની રહેશે ત્યારબાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તેમજ અરજી કરી ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોને ઈન્ટરવ્યું માટેની તારીખની જાણ કચેરી દ્વારા કરવામાં આવશે. જો કોઇપણ ઉમેદવાર ઈન્ટરવ્યુંમાં જાતે હાજર રહેવામાં કસુર કરશે તો તેઓ સંચાલક રસોયા મદદનીશ તરીકે રહેવા માંગતા નથી તેમ માની લઈ જે તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા મોરબી તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે






Latest News