ટંકારામાં ડીવાયએસપીએ હૈયાધારણા આપતાં લવ જેહાદ સામેનું ગામ બંધનું આંદોલન હાલ પુરતુ મૌકૂફ
મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે વડાપ્રધાનના જન્મદિને મહાયજ્ઞ યોજાયો
દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગઈકાલ તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ હોવાથી તેઓના દિર્ધાયુની કામના સાથે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે ધારાસભ્ય સહિતનાઓની હાજરીમાં મહા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામધન આશ્રમે યોજાયેલ મહાયજ્ઞમાં વડાપ્રધાનનો ૭૩ મો જન્મદિવસ હોવાથી ૭૩૦૦ આહૂતિઓ આપવામાં આવી હતી.તેમજ ૭૩ દીવડાઓ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી.આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, હિરાભાઈ ટમારીયા, પુર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, જીજ્ઞેશભાઇ કૈલા, જયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે.એસ.અમૃતિયા, બચુભા રાણા, હસુભાઈ પંડ્યા, નિરજભાઇ ભટ્ટ વિગેરેએ હાજરી આપી હતી અને સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.આ તકે લાભાર્થી સંમેલન પણ રામધન આશ્રમે યોજાયુ હતુ.