મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું


SHARE













મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની પાસેથી અકસ્માતનું ગ્રાહકને વળતર અપાવ્યું

કોઈ પણ વાહન અકસ્માતમાં વાહન ચાલકને ઇજા થાય તો જ વીમો મળે તેવું નથી તો પણ મોરબીમાં વાહન અકસ્માતમાં કેસમાં વાહન ચાલકને ઇજા નથી થઇ જેથી વળતર ન મળે તેવું કહીને વીમા કંપનીએ હાથ ઊંચા કરી સીધા હતા જો કે, મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વીમા કંપની સામે કાનૂની લડત કરીને વીમા કંપની પાસેથી ગ્રાહકને ૧.૪૫ લાખનું વળતર અપાવ્યું છે

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી ગીરીરાજસિંહ જાડેજાએ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી અને તે વાહન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર જતુ હતુ ત્યારે અકસ્માતના બનાવમાં વાહનમાં નુકશાન થયું હતું જેથી કરીને ગ્રાહકે વીમા કંપનીને સમયસર કાગળો આપી દીધા હતા ત્યારે અકસ્માતમાં ડ્રાઇવરને કોઇ ઇજા થયેલ નથી જેથી વીમો મળે નહી તેવી વીમા કંપનીએ જવાબ આપેલ હતો અને વીમો નામંજુર કરેલ હતો જેથી આ ગ્રાહક મોરબી જીલ્લા સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને ગ્રાહક અદાલને વીમા કંપનીને કહ્યું હતું કે, અકસ્માત સમયે ડ્રાઇવરને લાગવુ જરૂરી નથી આવા કારણોસર ગ્રાહકેને વીમો આપવાની ના પાડી શકાય નહીં અને વીમા કંપનીની સેવામાં ખામી હોય ગ્રાહકને ૧,૩૫,૮૦૦ અને ૭,૦૦૦ માનસીક ત્રાસના તેમજ ૩૦૦૦ ખર્ચના આમ કુલ મળીને ૧,૪૫,૮૦૦ સાત ટકા વ્યાજ સાથે તા. ૫/૪/૨૦૨૧ થી આપવાનો હુકમ કરેલ છે .






Latest News