ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના ઉપપ્રમુખ પદે મોરબી દિલાવરસિંહ જાડેજાની વરણી
મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી
SHARE
મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી
મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આગામી શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
આ મૌન રેલીની માંહીતી આપતા આગેવાને જણાવ્યુ હતુ કે, તા. ૨૩ ને શનિવારે સાંજે ૪ કલાકે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી આ મૌન રેલી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ શનાળા રોડ થઈને ગાંધી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલીમાં શિક્ષકો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાશે