મોરબીમાં ઉચ્ચતર માધ્યમિક-માધિયમિક શિક્ષકોની મૌન રેલી
SHARE
મોરબીમાં ઉચ્ચતર માધ્યમિક-માધિયમિક શિક્ષકોની મૌન રેલી
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવી, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી સહિતના પડતર પ્રશ્ને આંદોલન કરવામાં આવૈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા શનિવારે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે શિક્ષકો મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાયા હતા અને આ રેલીમાં ૩૫૦ જેટલા શિક્ષકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભાની છેલ્લી ચૂંટણી પહેલા સરકારે પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી હતી તો પણ હજુ સુધી પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી નવામાં તબક્કામાંથી આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને અગાઉ રામધૂન, ધરણાં અને આવેદનપત્ર સહિતના કાર્યક્રમો આપવામાં આવેલ છે ત્યારે શનિવારે શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને નવા બસ સ્ટેન્ડથી ગાંધીચોક સુધી મૌન રેલી કાઢવાં આવી હતી અને ત્યારે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.