હળવદના પીઆઇની તાજેતરમાં રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઇ હોવાનો દલિત સમાજનો આક્ષેપ
SHARE
હળવદના પીઆઇની તાજેતરમાં રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઇ હોવાનો દલિત સમાજનો આક્ષેપ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં પીઆઈની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. જે બદલી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા અણીદાર આક્ષેપ કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા અનુસૂચિત સમાજના આગેવાનો સહિતના લોકોએ હાલમાં કલેકટરને આવેદન આપીને હળવદના પીઆઇની બદલી રોકવાની માંગ કરી છે.
મોરબી જિલ્લા અનુસૂચિત સમાજના આગેવાનો જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને તાજેતરમાં હળવદના પીઆઇ કે.એમ. છાસિયાની બદલી કરવામાં આવી છે તે રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકામાં જુગારની રેડ પોલીસે કરી હતી જેમાં જુગારીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનો એક રાજકીય આગેવનનો સગો હોવાથી તેને બચાવવા હળવદના પીઆઇની સામે ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાએ ખોટી રજુઆત કરી હતી જેથી તેની બદલી કરવામાં આવી છે. જેથી આ બદલી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે