માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૪ ઓક્ટોબરે કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૪ ઓક્ટોબરે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્વ.નલીનભાઈ ધનજીભાઈ છનિયારાના સ્મરણાર્થે તા ૪/૧૦ ના રોજ સવારે ૧૦થી ૪ વાગ્યા સુધી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ ઝુલતા પુલ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મયુર હોસ્પિટલ ખાતે યોજાશે

હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શરમ, સંકોચ અને આર્થિક કારણોસર ઘણી વખત નિદાન કરાવવાનું ટાળતા હોય છે. અને પછી તેના માથા પરિણામ આવે છે ત્યારે જો પ્રાથમિક સ્ટેજમાં કેન્સરની તપાસ કરવામાં આવે અને સારવાર કરવામાં આવે તો ઘણા સારા પરિણામો આવે છે જેથી કરીને સામાન્ય રીતે જે ટેસ્ટની કિંમત રૂપિયા ૫૦૦૦ હોય છે તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા નીલાબેન છનિયારાના સૌજન્યથી આ કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવશે. ત્યારે ક્લબ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા મોરબીની બહેનોને કેન્સર જેવા જીવલેણ રોગ સામે અગમચેતી રાખીને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. અને આ કેમ્પમાં લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજિસ્ટ્રેશન મયૂરીબેન કોટેચા (૯૨૭૫૯૫૧૯૫૪), શોભનાબા ઝાલા (૯૯૭૯૩૨૯૮૩૭), તેમજ તેની ટીમના પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન વિઠ્ઠલપરા, રંજનાબેન સારડા, મનિષાબેન ગણાત્રા અને નયનાબેન બારાનો સંપર્ક કરીને નામ નોંધાવી શકશે






Latest News