મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારા : હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ


SHARE















ટંકારા : હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
ટંકારાના હડમતીયાથી જડેશ્વર તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઠ્યો છે.છતાં આધુનિક યુગમાં આયોજનના અભાવનો વાયરસ કે ભાગ બટાઈની ભૂમિકામાં ભ્રષ્ટાચાર અટકતો ન હોય તેમ હડમતીયાથી કોઠારીયા તરફનો માર્ગ ફરી ગાબડા ધારી માર્ગ ટુટી ગયો હોય તેવી ફરીયાદ ઉઠી છે.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિકાસ શાસન કાળમાં વિકાસ થયેલો માર્ગ ફરી ભાંગીને ભૂકો થઈ જતા વિકાસ રૂંધાયો છે તેમ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મહેસૂસ કરી રહ્યા છે.
 
જેથી સ્થાનિક સામાજિક કાર્યકરો અને નેતાઓની મહેનતો પર પાણી ઢોર થાય તે પહેલા જ મજબૂત પાકો રોડ બનાવવો જોઈએ જેથી કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટાચારીઓ વિકાસના કામોમાં શાસન પક્ષના નેતાઓની પ્રતિષ્ઠાની છબી મતદાર પ્રજામાં બગાડતા અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ.જેથી કરોડોની ગ્રાન્ટની મંજૂરીની મહોરમાથી ચોરી અટકે એ જ ખરા અર્થે વિકાસ છે.રોડની મજબૂતાઇ વિશે સવાલ ઉઠાવીને પંકજભાઇએ ચેતવણી ઉચ્ચારી છે કે જો કોઈ રાહદારીઓ અકસ્માતમાં ભોગ બનશે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રની તેમજ તકલાદી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની રહેશે.
 
હડમતીયા ગામની ચાર ટેકરીથી સદભાવના જીન સુધીનો એકથી બે કિલોમીટરનો કટકો (રોડ) બન્યાની ભેગો જ ભાંગીને ભૂકો થઈ ગયો છે જેથી ફરી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે અનેક રાવ રજૂઆત ફરિયાદોને ધ્યાન રાખી સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો દ્વારા સ્થાનિક નેતાઓ સમક્ષ રોડ રસ્તાને મંજૂર કરાવી મજબૂત રોડ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં આજે બન્યાના ટુંકા સમયમાં બીસ્માર બનેલ રોડ બાબતે બોલવા કોઇ તૈયાર કેમ નથી..? લોકોની વેદનાની કોઇને પડી જ નથી.





Latest News