વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા


SHARE













શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા

ગુજરાતમાં નવરાત્રીનો ગઇકાલે છેલ્લો દિવસ હતો જો કેગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કેસિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાતના શહેર મોરબીમાં વિદેશથી આવતા વેપારીઓ, ટેક્નિશિયનો સહિતના લોકો શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતા જોવા મળે છે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે હાલમાં શેરી ગલ્લીઓથી લઈને અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવે તે સમજી શકાય તેવી વાત છે જો કેમોરબીમાં પાટીદાર સમાજના લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે જો કેગરબા કોઈપણ જગ્યાએ ચાલતા હોય એટલે ત્યાં ઉભેલ વ્યક્તિને રાસગરબાના એક પણ સ્ટેપ ન આવડતા હોય તો પણ તે ગરબે ઘુમીયા વગર રહી જ શકતા નથી તે હક્કિત છે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મશીનરીના ટેક્નિશિયન, વેપારીઓ સહિતના ઘણા લોકો વિદેશથી આવે છે અને તે ઉમિયા નવરાત્રીમાં આવતા હોય છે અને ત્યાં આવીને અહીના લોકોની સાથે ગરબે ઘૂમતા હોય છે અત્રે ઉલેખનીય છે કેનવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી કરીને છેલ્લા નવ દિવસમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવ્યા હતા અને નવરાત્રીના માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણી હતી






Latest News