રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા


SHARE







શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીમાં મોરબીની ઉમિયા નવરાત્રીમાં હજારો લોકો ગરબે ઘૂમયા

ગુજરાતમાં નવરાત્રીનો ગઇકાલે છેલ્લો દિવસ હતો જો કેગુજરાતી લોકો તો ગરબે ઘૂમતા જ હોય છે જો કેસિરામિક સીટી તરીકે વિશ્વભરમાં જાણીતા ગુજરાતના શહેર મોરબીમાં વિદેશથી આવતા વેપારીઓ, ટેક્નિશિયનો સહિતના લોકો શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રી દરમ્યાન ગરબે ઘૂમતા જોવા મળે છે આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે હાલમાં શેરી ગલ્લીઓથી લઈને અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવે તે સમજી શકાય તેવી વાત છે જો કેમોરબીમાં પાટીદાર સમાજના લોકો માટે છેલ્લા ઘણા વર્ષોથી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ તેના પરિવારજનો સાથે આવતા હોય છે અને નવરાત્રી ઇન્જોય કરે છે જો કેગરબા કોઈપણ જગ્યાએ ચાલતા હોય એટલે ત્યાં ઉભેલ વ્યક્તિને રાસગરબાના એક પણ સ્ટેપ ન આવડતા હોય તો પણ તે ગરબે ઘુમીયા વગર રહી જ શકતા નથી તે હક્કિત છે મોરબીના સિરામિક ઉદ્યોગમાં મશીનરીના ટેક્નિશિયન, વેપારીઓ સહિતના ઘણા લોકો વિદેશથી આવે છે અને તે ઉમિયા નવરાત્રીમાં આવતા હોય છે અને ત્યાં આવીને અહીના લોકોની સાથે ગરબે ઘૂમતા હોય છે અત્રે ઉલેખનીય છે કેનવરાત્રી દરમ્યાન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ગરબા રમવા માટે સુંદર આયોજન કરવામાં આવે છે જેથી કરીને છેલ્લા નવ દિવસમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો તેના પરિવારજનોની સાથે ગરબે રમવા માટે આવ્યા હતા અને નવરાત્રીના માતાજીની આરાધના સાથે ગરબે ઘુમવાની મજા પણ માણી હતી






Latest News