મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસે વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમવા માટે આવી હતી અને બીજા દિવસે વિદ્યાર્થીઓ માટે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોઈપના જગ્યાએ સ્પર્ધા યોજવી, ગરબા રમવા અને નવરાત્રી અનુરૂપ કાર્યક્રમ થવા સામાન્ય રીતે બધે જ હોય છે જો કે, સ્કૂલમાં યોજાયેલ ગરબાની સાથે ગરબામાં ભાગ લેનાર તમામ બહેનોએ વિવિધ પ્રકારના સંકલ્પો લીધા હતા તેમજ બે કલાક તમામ વિદ્યાર્થીઓએ એક જ સાથે એક જ પ્રકારનો રાસ રમીને સૌને અચંબિત કરી દીધા હતા ખાસ કરીને શાળાના સફાઈ કર્મચારી બહેનોએ આરતી કરી હતી અને તેમના હાથે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે નવરાત્રીની આ ઉજવણીમાં સંપૂર્ણપણે માતાજીની આરાધના થાય તે માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું હતું









