મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ


SHARE













મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આજથી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવી રહ્યા છે

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માટે અગાઉ હવન કરાયો હતો ત્યારે જ મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા સંકલ્પ કરાયો હતો અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથાનું સમાજ સેવકો દ્વારા આયોજન કરાયેલ છે આજે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી જેમા દિવંગત આત્માઓના પરિવારજનો પણ જોડાયા હતા અને વાજતે ગાજતે પોથી યાત્રા કથા સ્થળ સુધી પહોંચી હતી અને આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આ કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેનો લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે 






Latest News