મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું બે દિવસનું આયોજન કરાયું
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ
SHARE
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ
મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આજથી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવી રહ્યા છે
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માટે અગાઉ હવન કરાયો હતો ત્યારે જ મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા સંકલ્પ કરાયો હતો અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથાનું સમાજ સેવકો દ્વારા આયોજન કરાયેલ છે આજે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી જેમા દિવંગત આત્માઓના પરિવારજનો પણ જોડાયા હતા અને વાજતે ગાજતે પોથી યાત્રા કથા સ્થળ સુધી પહોંચી હતી અને આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આ કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેનો લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે









