ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ


SHARE













મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે રત્નેશ્વરીદેવીની ભાગવત કથા શરૂ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આજથી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવી રહ્યા છે

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માટે અગાઉ હવન કરાયો હતો ત્યારે જ મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા સંકલ્પ કરાયો હતો અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથાનું સમાજ સેવકો દ્વારા આયોજન કરાયેલ છે આજે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી જેમા દિવંગત આત્માઓના પરિવારજનો પણ જોડાયા હતા અને વાજતે ગાજતે પોથી યાત્રા કથા સ્થળ સુધી પહોંચી હતી અને આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને આ કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેનો લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે 






Latest News