મોરબીના વિરાટનગર(રં) ગામે વડસોલા પરિવારનો સાતમો પંચકુંડી યજ્ઞ સંપન
મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી
SHARE
મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી
અત્યારના અર્વાચીન ગરબાના યુગમા મોરબીની એસપી રોડે આવેલ ધ વન અપ સોસાયટીમા પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખેલ છે અને નવમા નોરતે, ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાનનું અદભુત રનિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું અને આ ઉપરાંત બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ વેશભૂષાના કાર્યક્રમમા હિન્દૂ દેવી દેવતાઓનો વેશ ધારણ કરીને બાળકોએ વાતાવરણને ખુબ જ આધ્યાત્મિક બનાવેલ હતો આ ઉપરાંત વેશભૂષામા ૫૧ ભારતની મહાન વ્યક્તિઓ તેમજ આઝાદીના લડવૈયાનો પણ વેશ ધારણ કરીને વાતાવરણને દેશભકિતના રંગે રંગી દીધું હતું. તમામ ભાગ લેનાર બાળકોને પારજીયા જયંતીભાઈ ભગવાજીભાઇ તરફથી ભેટ આપવામાં આવી હતી. અને આ નવરાત્રીને સફળ બનાવવામાં યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી