માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી


SHARE













મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી

અત્યારના અર્વાચીન ગરબાના યુગમા મોરબીની એસપી રોડે આવેલ ધ વન અપ સોસાયટીમા પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખેલ છે અને નવમા નોરતે, ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાનનું અદભુત રનિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું અને આ ઉપરાંત બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ વેશભૂષાના કાર્યક્રમમા હિન્દૂ દેવી દેવતાઓનો વેશ ધારણ કરીને બાળકોએ વાતાવરણને ખુબ જ આધ્યાત્મિક બનાવેલ હતો આ ઉપરાંત વેશભૂષામા ૫૧ ભારતની મહાન વ્યક્તિઓ તેમજ આઝાદીના લડવૈયાનો પણ વેશ ધારણ કરીને વાતાવરણને દેશભકિતના રંગે રંગી દીધું હતું. તમામ ભાગ લેનાર બાળકોને પારજીયા જયંતીભાઈ ભગવાજીભાઇ તરફથી ભેટ આપવામાં આવી હતી. અને આ નવરાત્રીને સફળ બનાવવામાં યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી






Latest News