મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી


SHARE







મોરબીની ધ વન અપ સોસાયટીમા નવરાત્રી પર્વની અનોખી ઉજવણી

અત્યારના અર્વાચીન ગરબાના યુગમા મોરબીની એસપી રોડે આવેલ ધ વન અપ સોસાયટીમા પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખેલ છે અને નવમા નોરતે, ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાનનું અદભુત રનિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું અને આ ઉપરાંત બાળકો માટે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ વેશભૂષાના કાર્યક્રમમા હિન્દૂ દેવી દેવતાઓનો વેશ ધારણ કરીને બાળકોએ વાતાવરણને ખુબ જ આધ્યાત્મિક બનાવેલ હતો આ ઉપરાંત વેશભૂષામા ૫૧ ભારતની મહાન વ્યક્તિઓ તેમજ આઝાદીના લડવૈયાનો પણ વેશ ધારણ કરીને વાતાવરણને દેશભકિતના રંગે રંગી દીધું હતું. તમામ ભાગ લેનાર બાળકોને પારજીયા જયંતીભાઈ ભગવાજીભાઇ તરફથી ભેટ આપવામાં આવી હતી. અને આ નવરાત્રીને સફળ બનાવવામાં યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલ હતી






Latest News