મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે
મોરબીમાં દશેરા નિમિતે બહુચર બાળ મંડળ દ્વારા રામ અને રાવણનું યુદ્ધ નાટક: રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં દશેરા નિમિતે બહુચર બાળ મંડળ દ્વારા રામ અને રાવણનું યુદ્ધ નાટક: રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
ગઈકાલે વિજયા દસમી નિમિતે દેશભરમાં ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દરમ્યાન મોરબીમાં ઉમિયા સર્કલ પાસે બહુચર બાળ મંડળ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રામ અને રાવણનું યુદ્ધ નાટક રાખવામાં આવ્યું હતું ત્યાર પછી હજારો લોકોની હાજરીમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દલવાડી લોકો દ્વારા વર્ષોથી વાડી વિસ્તારમાં વિજયા દસમીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે અસત્ય ઉપર સત્યના વિજયને વધાવવા માટેનો કાર્યક્રમ બહુચર બાળ મંડળ દ્વારા કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચે રાખવામાં આવ્યો હતો જ્યાં રાવણના પુતળાનું દહન કરતા પહેલા રામ રાવણનું યુદ્ધ નાટક રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ બહુચર બાળ મંડળ દ્વારા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ પરંપરાને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં દલવાડી સમાજ દ્વારા જીવતી રાખવામાં આવી છે અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા જળવાઈ રહે તે માટે યુવાનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવે છે તે હક્કિત છે આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફાળ બનાવવા માટે સ્થાનિક યુવાનો સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી