મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે યજ્ઞ-મહાપ્રસાદ યોજાયો
મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે માજી મંત્રીની હાજરીમાં ઝાલા પરિવારનો હવન-સભા યોજાઇ
SHARE
મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે માજી મંત્રીની હાજરીમાં ઝાલા પરિવારનો હવન-સભા યોજાઇ
મોરબીના શક્ત શનાળા ગામે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા ૩૫ માં વર્ષે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજનળ ઓકો સહપરિવાર હાજર રહ્યા હતા આ વર્ષે હવન યજ્ઞાદિમાં યજમાન પદે અજયસિંહ રણજીતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ શક્તિસિંહ ઝાલા અને જયદીપસિંહ જુવાનસિંહ ઝાલા બેઠા હતા અને ત્યાર બાદ યોજાયેલ સભામાં મુખ્ય મહેમાન તરીકે માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડો.રુદ્રસિંહ ઝાલા, નિલેશ્વરીબા ગોહિલ, યોગાચાર્ય સ્વામી અક્ષયાનંદજી, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજા તેમજ શનાળાના મહંત નરોતમદાસ બાપુ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કે. ઝાલા, ઘનશ્યામસિંહ એસ. ઝાલા અને ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શકત શનાળા), મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), નિરૂભા ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી









