મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર તલાવડીમાંથી યુવકની લાશ મળી


SHARE













મોરબીના કંડલા બાયપાસ ઉપર તલાવડીમાંથી યુવકની લાશ મળી

મોરબીના કંડલા બાયપાસ ઉપર મચ્છુ-૩ ડેમ પાસે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પાછળ તલાવડીમાંથી ગઇકાલે યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં લાશને ફોરેન્સીક તપાસ માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો તેમજ તપાસ અધિકારી એમ.એલ.બારૈયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ ખાખરાવાળી મેલડી માતાના મંદિર જવાના રસ્તે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પાછળ પાણી ભરેલી તલાવડીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. જેથી મોરબી પાલિકાના ફાયરબ્રિગેડના લીડીંગ ફાયરમેન મહાદેવજી સવજીભાઈ ઠાકોર, ફાયરમેન  સંજયભાઈ, ભાગ્યરાજસિંહ, કિશનભાઇ જોશી, દર્શનભાઈ, મહેન્દ્રભાઈ સહિતના સ્ટાફે મૃતદેહને બહાર કાઢયો હતો. બાદમાં પોલીસે તપાસ હાથ ધરતા ખૂલ્યું હતુ કે મૃતકનું નામ સુનિલભાઇ દલપતભાઈ માયાભાઈ ગૌસ્વામી જાતે બાવાજી (ઉમર ૨૮) મૂળ રહે.નવા નાગરપુરા તા.વડગામ જી.બનાસકાંઠા હાલ રહે.મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે હોવાનું ખૂલ્યું અને ત્યાં કૃષી વિજ્ઞાન કેન્દ્રમાં જ ખેતમજુરીનું કામ કરતો હતો અને કોઈ કારણોસર તે તલાવડીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી સુનીલ દલપતભાઇ ગૌસ્વામીનું મોત નીપજયું હતું.હાલ બનાવની ખરી હકીકત સુધી પહોંચવા કોહવાઇ ગયેલ મૃતદેહને ફોરેન્સીક તપાસ અર્થે રાજકોટ ખસેડીને મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

રીક્ષા પલ્ટી જતાં માતા-પુત્રીને ઇજા

મોરબીના રહેવાસી ભારતીબેન મનસુખભાઈ ઠાકોર (૨૮) અને તેમની દીકરી દિવ્યા મનસુખભાઈ ઠાકોર (૫) રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે હળવદ ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા માતા-પુત્રીને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક આવેલા પ્રેમજીનગરમાં રહેતા પારૂલબેન જયંતીભાઈ સેખવા નામની ૪૨ વર્ષીય મહિલાને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News