મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા
SHARE
મોરબીમાં સનાતન ધર્મની જાગૃતતા માટે આજે પહોચશે શ્રી સનાતન ધર્મ યાત્રા
શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૨૪ ને વિજયાદશમીથી આ યાત્રા નીકળી છે જે યાત્રા ભગવાનશ્રી દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવી છે અને આ યાત્રા દ્વારકાથી વિવિધ સ્થળોએ ફરીને સુદામાનગરી પોરબંદર ખાતે પૂર્ણ કરવામાં આવનાર છે
આ યાત્રા દ્વારકાથી તા. ૨૪ ના રોજ પ્રસ્થાન કરીને વિવિધ સ્થળોએ ફરી રહી છે ત્યારે તા. ૩૦ ના રોજ રાપરથી મોરબી આ યાત્રા આવી રહી છે અને તા. ૩૧ ના રોજ મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે પ્રસ્થાન કરશે આ સનાતન યાત્રા રાજકોટથી ભુરખીયા હનુમાન, ભુરખીયા હનુમાનથી રાજુલા, રાજુલાથી પ્રાંચી, માધવપુર અને સુદામાપૂરી પોરબંદર ખાતે તા. ૭/૧૧ ના રોજ પહોંચશે જ્યાં યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવશ